નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો ભરડો દિન પ્રતિદિન મજબૂત થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ 40425 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 681 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 11,18,043 થયો છે. જેમાંથી 3,90,459 એક્ટિવ કેસ છે અને 7,00,087 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 27497 લોકોના જીવ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. જ્યાં અત્યાર સુધી કોરોનાના 310455 કેસ નોંધાયા છે. જ્યારે 11854    લોકોના કોરોનાના કારણે અત્યાર સુધીમાં જીવ ગયા છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં 2481 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ 170693 કેસ નોંધાયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. જ્યાં કોરોનાના કુલ 122793 કેસ નોંધાયા છે અને 3628 લોકોના મૃત્યુ થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube